જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૨૧ માર્ચના રોજગાર ભરતી મેળૉ યોજાશે

જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૨૧ માર્ચના રોજગાર ભરતી મેળૉ યોજાશે
જૂનાગઢ : જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા માર્ચ- ૨૦૨૫ અન્વયે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળા અંતર્ગત આગામી તારીખ ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
જેમાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સવાણી હેરિટેઝ કંજર્વેશન પ્રા. લી, ચોકસી વછરાજ મકનજી એન્ડ કંપની (CVM COMPANY ) રિલાયન્સ નીપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની ધ્યેય કન્સલ્ટન્સી એકમ માટે ઈલેક્ટ્રિશિયન, કેડ / ગ્રાફિક / મેન્યુઅલ જ્વેલરી ડિઝાઇનર, એચ આર / પ્રોડક્શન સેલ્સ/ સેલ્સ/ બેન્ક ઓફિસ -એકઝયુકેટીવ,લાઇફ પ્લાનિંગ ઓફિસર,મશીન ઓપરેટર, સિક્યુરિટી ગાર્ડ કે ઓફિસબોય ની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા તેમજ એસ.એસ.સી., એચ.એસ.સી., સ્નાતક, અનુસ્નાતક, આઇ.ટી.આઇ. કે ડિપ્લોમા જેવી જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગાર વાંચ્છુઓ માટે ભરતી મેળાનું આયોજન કરાશે.
જે અન્વયે જૂનાગઢ જિલ્લાના રોજગાર વિનિમય કચેરી દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના ‘બી’ વિન, પ્રથમ માન, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે તા. ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ ક્લાકે વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર વાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતી મેળાના સ્થળ પર સમયસર સ્વ-ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in આ વેબસાઈટના માધ્યમથી પણ ભાગ લઈ શકાય છે.
આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલિફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300