જૂનાગઢમાં જાહેર સ્થળોએ ઘાસચારાના વેચાણ અને માલિકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા પ્રતિબંધ

જૂનાગઢમાં જાહેર સ્થળોએ ઘાસચારાના વેચાણ અને માલિકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા પ્રતિબંધ
Spread the love

જૂનાગઢમાં જાહેર સ્થળોએ ઘાસચારાના વેચાણ અને માલિકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ

જૂનગાઢ : જૂનગાઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તથા ટ્રાફિક નિયમન થઈ શકે તેમજ લોકોના જાન સ્વાસ્થ્ય તથા સલામતી જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામુ બહાર પાડ્યુ છે. જાહેરનામા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારોમાં જાહેર માર્ગો, ફૂટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઈપણ વ્યક્તિએ ઘાસચારાનું વેચાણ કરવું નહીં કે જાહેરમાં ઘાસચારો નાખવો નહીં
જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં માલિકીના ઢોરને જાહેરમાં તેમજ રસ્તાઓ ઉપર છોડી મૂકવા નહીં કે રખડતા ભટકતા રહે તે રીતે રાખવા નહીં. આમ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડી જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો નાખવા તથા વેચવા પર પ્રતિબંધ ફરમાવા તથા માલિકીના ઢોરને જાહેર રસ્તા ઉપર છોડી મૂકવા કે રખડતા ભટકતા રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામુ તા.૦૩/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. ઉપરાંત આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિત,૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!