આગામી તા.૨૩ એપ્રિલના કેશોદમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

આગામી તા.૨૩ એપ્રિલના કેશોદમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ : નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકામાં આગામી તારીખ ૨૩/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. મામલતદાર કચેરી, કેશોદ તાલુકા સેવા સદન, માંગરોળ રોડ, કેશોદ ખાતે કાર્યક્રમ યોજાશે.
નાગરિકો તેમના પ્રશ્નો જે-તે ગામના તલાટીને દર મહિનાની ૧૦ તારીખ સુધીમાં રજૂ કરી શકશે. તાલુકા તથા ગ્રામ કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારોએ જે-તે તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને આગામી તારીખ ૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં સીધા પણ રજૂ કરી શકશે.
નાગરિકોએ પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો સાથે જરુરી વિગતો અને પુરાવાઓ સાથે રજૂ કરવા. જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકા કક્ષાએ થતો હોય તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે કરવી. તાલુકા કક્ષાએ જે અરજીઓનો નિકાલ ન થયો હોય તેવી અરજીઓનો જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સમાવેશ થશે. એક જ સમયે અનેક વિષયોને લગતી રજૂઆતો કરી શકાશે નહી. અરજદારે HTTP://SWAGAT.GUJARAT.GOV.IN/CITIZEN_ENTRY_DS.ASPX?FRM=WS પર ઓનલાઇન અરજી કરવી.
સુનિશ્ચિત મુદ્દત બાદની, અસ્પષ્ટ રજૂઆત, નામ સરનામા ના હોય, વ્યક્તિગત આક્ષેપોવાળી, નીતિ વિષયક, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો, સ્વયંને લાગુ ન પડે તેવા પ્રશ્નો, અગાઉના કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નો આવા કોઈપણ પ્રશ્નો કે અરજી આ કાર્યક્રમમાં સ્વીકારવામાં આવશે નહીં. તેમ મામલતદારશ્રી, કેશોદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300