રાજકોટમાં આમઆદમીના કાર્યકરો દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરી

દિલ્હીમાં આમઆદમી પાર્ટીએ ફરી વિજય વાવટો ફરકાવ્યો છે. કેજરીવાલ શાસન ફરી એક વખત આવ્યું છે. ત્યારે રાજકોટ સ્થિત ”આપ”ના કાર્યકરોએ પણ દિલ્હીની જીતની ઉજવણી કરી હતી. બાઈક રેલી યોજી ગાંધીજી, સરદાર પટેલ, ઢેબરભાઈની પ્રતિમાને પુષ્પાંજલી કરી લોકોનું ગોળધાણાથી મીઠુ મોઢુ કરવામાં આવેલ. ‘આપ’ હવે રાજકોટની તમામ ચૂંટણીઓમાં ઝંપલાવશે તેમ રાજકોટ સ્થિત કાર્યકરોએ જણાવ્યું હતું. તેઓએ જણાવેલ કે દિલ્હીમાં ‘આપ’નો ફરી વિજય વાવટો ફરકયો છે. કેજરીવાલ સરકારે દિલ્હીમાં જનતા માટે કામ કરી બતાવ્યું છે. કોઈપણ વિચારધારા સાથે આગળ વધતો હોવાનું જણાવેલ. ગરીબ, મધ્યમ વર્ગ લોકોના કાર્ય કરવા પક્ષનો મુખ્ય ધ્યેય છે.
ગુજરાતમાં ‘આપ’નું રજીસ્ટ્રેશન થઈ ચૂકયું છે અને હવે આગામી સ્થાનિક સ્વરાજયની તમામ ચૂંટણીઓ જેવી કે મ્યુ.કોર્પોરેશન, નગરપાલીકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ‘આપ’ ઝુકાવશે. પક્ષમાં છેલ્લા ઘણા સમયથી કાર્ય કરી રહ્યા છે તેમાંથી ઉમેદવારોની પસંદગી કરી તેઓને જ ટિકિટ આપવામાં આવશે તેવું જણાવેલ. દરમિયાન ગઈકાલે બહુમાળી ભવન ખાતેથી બાઈક રેલીનો ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરી પ્રારંભ કરેલ. જયાંથી ડો.આંબેડકરજી, ગાંધજી અને ઢેબરભાઈની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું સમાપન કરવામાં આવેલ. તસ્વીરમાં આમ આદમી પાર્ટીના રાજકોટ પ્રમુખ શ્રી કેશવજી પરમાર, ઉપપ્રમુખ શ્રી ઉત્તમ રાઠોડ, સહમંત્રી શ્રી કિશનભાઈ રાઠોડ, સહમંત્રી શ્રી રાજેશભાઈ પાનસુરીયા અને શ્રી મુકેશભાઈ લાંગણેચા નજરે પડે છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)