દેવમોગરા ખાતે મહા શિવરાત્રી મેળામાં ચાર રાજ્યોના ત્રણ લાખથી વધુ આદિવાસી ઉમટ્યા

દેવમોગરા ખાતે મહા શિવરાત્રી મેળામાં ચાર રાજ્યોના ત્રણ લાખથી વધુ આદિવાસી ઉમટ્યા
Spread the love
  • કલાકો સુધી લાંબી કતારોમાં શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક આદિવાસીઓએ ઊભા રહી યાહ મોગી માતા ના દર્શન કર્યા.
  • પોતાની બાધા આખડી માનતા પુરી કરવા મરઘા, બકરા માતાજીને ચરણે રમતાં મૂકીને અને મહુડાનો પહેલી ધારનો દેશી દારૂ અર્પણ કર્યો.
  • દેશભરમાં આજે મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા થઈ હતી પણ એકમાત્ર નર્મદાના દેવમોગરા ખાતે પાંડુરી માતા ના મંદિરે શક્તિની પૂજા લાખો આદિવાસીઓએ કરી.

આજે મહાશિવરાત્રીનું પર્વ નર્મદામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાયું હતું જોકે નર્મદા સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા થાય છે જ્યારે એક માત્ર નર્મદાના દેવમોગરા ખાતે પાંડોરીમાતા મંદિરે શક્તિની પૂજા લાખો આદિવાસીઓએ કરી હતી આજે શિવરાત્રીના દિવસે ત્રણ રાજયો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ત્રણ લાખથી વધુ આદિવાસીઓ પાંડોરી માતા ના દર્શન કરવા ઊમટી પડ્યા હતા અને કલાકો સુધી લાંબી કતારોમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આદિવાસીઓએ ઉભા રહ્યા મોગી માતા ના દર્શન કર્યા હતા. આદિવાસીઓએ પોતાની ખેતી નું પહેલું ધાર એટલે ટોપ ટોપલીમાં લાવી માતાજીને અર્પણ કર્યું હતું પોતાની બાધા આખડી માનતા પુરી કરવા મરઘા બકરા માતાજી ને ચરણે રમતાં મૂકીને મહુડીનો પહેલી ધારનો દેશી દારૂ અર્પણ કર્યો હતો.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતા ઉર્ફે યાહમોગીના મંદિરે શિવરાત્રી નો ભવ્ય મેળો ભરાયો હતો. એકમાત્ર નેપાળી શૈલીના પ્રાચીન મંદિર એ આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે 21 મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રી થી પાંચ દિવસ સુધી મેળો ભરાયો છે. આ મેળામાં આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન થતા હોવાથી આ મેળો નર્મદા જિલ્લાનો આદિવાસીઓનો સૌથી મોટો ગણાય છે. જો કે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી છતા આ મેળો મહાશિવરાત્રિ એ નિયમિત રીતે પરંપરાગત રીતે ભરાય છે. આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થાને આવીને વસ્યા હતા, અને પાંડવોએ માતાજીનું પૂજન શિવરાત્રિએ કરેલું તેથી, જ આમાં પાંડોરી માતા કહેવાય, ત્યારથી અહીં દેવમોગરાનો મેળો શિવરાત્રીએ ભરાય છે, નેપાળના પશુપતિનાથ શૈલીનું એક માત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલ છે.

એવી પણ એક માન્યતા છે કે આ મંદિરની જગ્યાએ પાંડવોએ નિવાસ કરેલો છે અને પાંડવોએ માતાજીનું પૂજન શિવરાત્રીએ કરેલું છે તેથી જ આમા પાંડોરી માતા કહેવાયા ત્યારથી અહીં દેવમોગરા નો મેળો દર વર્ષે શિવરાત્રીએ ભરાય છે.

આજે દેવમોગરા ખાતે પાંડોરી માતા ના મહાશિવરાત્રી મેળામાં ત્રણ રાજ્યોના 3 લાખથી વધુ આદિવાસી ઉમટ્યા હોવાથી નર્મદા પોલીસ દ્વારા મેળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ખાસ કરીને મેળામાં કિસ્સા કતરુ ના બનાવો વધારે બનતા હોવાથી પોલીસ સતર્ક બની હતી તેમજ કોઇ અસામાજિક પ્રવૃત્તિ કરે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!