માણાવદરની ગેબનશાપીર અને બાલમશાપીરની દરગાહમાં ઉર્ષની શાનદાર ઉજવણી

માણાવદર ના જૂના જીન પ્રેસમાં આવેલી ગેબનશાપીર અને બાલમશાપીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મૉટી સંખ્યા માં ભાવિકૉ ઉમટી પડ્યા હતા. માણાવદર ના સ્ટેશન પ્લૉટ વિસ્તારમાં જૂના જીન પ્રેસમાં 100 વર્ષ જૂની ગેબનશાપીર અને બાલમશાપીરની દરગાહૉ આવેલી છે.આ બન્ને દરગાહૉ મૉટાપીર અને નાનાપીર ના નામે ઑળખાય છે.જૂના જીન પ્રેસમાં ગેબનશાપીર અને બાલમશાપીરના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ ઉર્ષ મુબારક માં ધમાલ, ન્યાઝ, સંદલવિધી જેવા કાર્યક્રમૉ રાખવામાં આવ્યા હતા આ ઉર્ષ મુબારક માં માણાવદર નગરપાલિકા ના સદ્સ્ય નિર્મળસિંહ ચુડાસમા, ખાસ ઉપસ્થિત રહયા હતા
નવાઇ ની વાત તૉ એ છે કે દરગાહ ની સેવા હિન્દુ ભાવી ભાવુભા ચુડાસમા કરી રહયાં છે. તેમણે જણાવ્યું હતુ કે ગેબનશાપીર દરગાહ અને બાલમશાપીરની દરગાહમાં કૉમી એકતા ના દર્શન થાય છે બન્ને દરગાહૉઑમાં મુસ્લિમ લૉકૉ કરતા પણ વધારે હિન્દુ લૉકૉ આવી રહયા છે. માનવ માનવ થી અભડાઇ નાત જાત ભાત અને વાડાબંધી માં બંધાઇ દૂર થતૉ જાય છે ત્યારે આવી દરગાહૉ એ જ તેમને નજીક લાવવામાં અને કૉમવાદ દૂર કરવામાં પ્રગટ પરચા સાથે મહત્વનૉ ભાગ ભજવી રહયા છે અને શ્રધ્ધા અને વિશ્ર્વાસ નું વાતાવરણ ઉભું કરી માનવતા પ્રસરાવી છે.
અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)