જામજોધપુર એસ. ટી. ડેપો મેનેજર શીખાબેન પંડયા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન

જયારે સમગ્ર વિશ્વમાં કોરોનો વાઇરસ હાહાકાર મચાવે છે ત્યારે તેનાથી બચવા માટે જામજોધપુર એસ ટી ડેપો ખાતે સમગ્ર ડેપોના ડ્રાયવર, કંડકટર તેમજ સ્ટાફ માટે માસ્કની વ્યવસ્થાના દાતા શ્રી ચીમનભાઈ ધરમસીભાઈ સાપરિયા (પુવૅ કેબીનેટ મંત્રી ગુજરાત રાજ્ય) દ્વારા કરાવી આપીને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ તેમજ પ્રજામાં જાગૃતિ આવે તે માટે જામજોધપુર એસ. ટી. ડેપો મેનેજર શીખાબેન પંડયા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન શરુ કરેલ. જેમાં ડેપોમાં તમામ યાત્રિકોને બેસવાના સ્થળો તેમજ ઓફીસો તેમજ વર્કસોપની સફાઈ તેમજ તમામ બસોની અંદર-બહાર ફિનાઈલથી સાફ કરવામાં આવેલ વર્કશોપની પ્રીમાઈસની સફાઈ હાથ ધરવામાં આવેલ. ડેપો ખાતે આવેલા જાહેર સૌચાલયમાં હેન્ડવોસ મુકવામાં આવેલ તેમજ તમામ સ્ટાફને સતત સફાઈ રાખવી હાથને સેનેટાઈજરનો ઉપયોગ કરવા જણાવેલ.
રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)