અરવલ્લી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું

Spread the love

હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID-2019ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ તેના કેટલાક કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-2019 ની ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસ COVID-2019 ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે  નીચે મુજબની વિગતે અરવલ્લી જિલ્લાના હદ વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા  ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૭(૪) તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ–૧૪૪થી મળેલ સત્તાની રૂએ સમગ્ર અરવલ્લી જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવાઇ છે. જે મુજબ

  1. જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત ગેરાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. સભા સરઘસ, રેલી, મેળાવડા વિ. માટે મંજુરી લેવાની રહેશે.
  2. જિલ્લામાં આવેલ જાહેર મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા અને નાટયગૃહો, મેળાઓ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટીપ્લોટ કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તથા ખાનગી બગીચો, પાન-તમાકુની દુકાનો બંધ રાખવાની રહેશે.
  3. જિલ્લામાં આવેલ જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, ડાન્સ કલાસીસ, રીક્રીએશન કલબ, લગ્નવાડી, ગેમ ઝોન કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.
  4. જિલ્લામાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ટયુશન કલાસિસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા.
  5. જિલ્લામાં આવેલ તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો અને તમામ જાહેર ખાનગી સ્થળો કે જયાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા જાહેર સ્થળોના સંચાલકોએ કોરોના વાયરસ COVID-2019ને ફેલાતો અટકાવવા માટે સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી સેનીટાઈઝેશન અને હાઈજીનની વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની રહેશે.
  6. કોઈપણ વ્યકિત સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
  7. જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે કંટ્રોલરૂમ અછવા હેલ્પલાઈન નં. ૧૦૪ ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે. આ જાહેરનામુ તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. ગુજરાત પોલીસ એક્ટ કલમ–૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત ગણાશે. આ હુકમ અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. કલમ ૧૮૮ મુજબ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Kuldip

9909969099
Right Click Disabled!