વલસાડ જિલ્લામાં લોકડાઉન દરમિયાન નિરાધાર માટે હેલ્પલાઇન
વલસાડ,
તાજેતરની નોવેલ કોરોના વાયરસ(COVID-2019) વૈશ્વિક મહામારીને નિયંત્રણમાં લેવામાં આવેલા ધનિષ્ઠ પગલાંને અનુસરીને લોકડાઉનની સ્થિતિમાં વલસાડ જિલ્લામાં એકલા રહેતા હોય તેવા વૃધ્ધ માણસો તેમજ નિરાધાર હોય તેમને જમવાની વ્યવસ્થામાં અગવડતા પડતી હોય તેવી પરિસ્થિતિમાં કલેકટર કચેરીના શ્રી ડી.એ.ગીનીયા, અધિક ચીટનીશ ટુ કલેકટર ફોન નં ૦૨૬૩૨ -૨૪૪૨૭૯ મો.નં.૯૯૨૫૩૩૫૦૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.