માછીમારી બંધ થઇ જતા ૫ હજાર કરોડથી વધુના નુકસાનની ભીતિ
સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે ૫૦ હજાર જેટલા માછીમારો બોટમાં જ ક્વારન્ટાઇન કરાયા
પોરબંદર,
કોરોના વાયરસનાં કારણે સૌરાષ્ટÙનાં આશરે ૫૦ હજાર માછીમારો માંગરોળ, વેરાવળ, પોરબંદર અને ઓખા સુધીના કિનારા પર બોટમાં જ ક્વારન્ટાઇન છે. આ માછીમારો પોતાના પરિવારોને મળી નથી શકતા અને તેમની આવક પણ બંધ છે. મળતી માહિતી પ્રમાણે, માછીમારી બંધ થઇ જતા આશરે પાંચ હજાર કરોડથી વધુ નુકશાન આ ઉદ્યોગને થયાનું આગેવાનો જણાવી રહ્યાં છે.
સૌરાષ્ટÙમાં હાલ માંગરોળમાં આશરે ૯ હજાર, પોરબંદરમાં ૧૦ હજાર, વેરાવળમાં ૧૫ હજાર અને ઓખાની આસપાસ આશરે ૧૫ હજાર માછીમારો હાલ કિનારા પરની બોટમાં જ ક્વારન્ટાઇન છે. આ લોકોની તમામ વ્યવસ્થા બોટ માલિકો દ્વારા કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે માંગરોળમાં આશરે ૮૦૦ , પોરબંદરમાં ૨૫૦૦ , વેરાવળમાં ૨૫૦૦ અને ઓખામાં પણ ૨૫૦૦ જેટલી બોટ હાલ કિનારા પર છે. જેમાં ૫૦ હજારથી વધુ માછીમારો ક્વારન્ટાઇન છે.
આ કપરી પરિÂસ્થતિ અંગે ઓલ ઈÂન્ડયા ફિશરમેન એસોસિએશનનાં પ્રમુખનાં જણાવ્યાં મુજબ, કોરોના વાયરસની આ Âસ્થતિમાં માછીમારોની હાલત સૌથી ખરાબ છે. હજારો માછીમાર પરિવારો બેકારીમાં જીવી રહ્યાં છે. ફિશીંગ માટે ગયેલા માછીમારો કિનારે આવીને અટવાયા છે જેથી તેમના પરિવારોને બે ટંક ખાવાનાં સાંસા પડી રહયા છે. ફિશીંગમાં ગયેલી બોટને વહીવટી તંત્રએ પરત બોલાવી લેવા આદેશ કરતા બોટ સાથે માછીમારો પરત તો આવી ગયા છે પણ તેમને કિનારે જ અટકાવી દેવામાં આવ્યા છે. બોટમાં જ કવારન્ટાઈન કરાયા છે કારણ કે તેમના પરિવાર પર કોઈ જાખમ ઉભુ ન થાય.