અરવલ્લીના મોડાસા શહેરની કાર્તિકેય સોસાયટી તથા તેની આજુબાજુ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ

Spread the love
  • આ વિસ્તારોમાં લોકોની અવરજવર ઉપર ૧૧ જુન સુધી પ્રતિબંધ ૫ કિ.મી વિસ્તાર બફરઝોનમાં

મોડાસા,
હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19 ના દિન પ્રતિ દિન કેસોમાં વધારો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૃ પ્રતિબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા શહેરના કાર્તિકેય સોસાયટી વિસ્તારમાં નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરને તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ધ એપેડેમીક ડીસીઝ એકટ,૧૮૯૭ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા ૩૪ અન્વયે વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે COVID-19 નો Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.

જેમાં COVID-19 નો કેસ મળી આવતા મોડાસા શહેરના કાર્તિકેય સોસાયટી તથા તેની આજુબાજુ આવેલ હરસિધ્ધ સોસાયટી, યમુનાનગર સોસાયટી, દેના બેંક કોલોની, શ્રીનાથ સોસાયટી, તથા ગોકુલ સોસાયટી કે જે મોડાસા નગરપાલિકાકમાં આવેલા વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ પાંચ કિ.મી ત્રિજયામાં આવેલ વિસ્તારને બફર ઝોન જાહેર કરેલ છે. જેમાં આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ( તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મુક્યા છે.

આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ, વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરતાં પાસ ધારકો તેમજ ત્યાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને જથ્થાબંધ બજારોને નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવશે, આ જાહેરનામુ તા ૧૧ જુન ૨૦૨૦ સુધી અમલી રહેશે જો કોઇ આ હુકમનો ભંગ કરતા માલૂમ પડશે તો તેમની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ-૧૮૮, ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!