હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને ઇડર તાલુકાના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

Spread the love
  • કન્ટેઇનમેન્ટ ઝોનના લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ

હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે આમુખ-૨ થી લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા પ્રતીબંધિત કરવામાં આવે છે.

જે અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી સી.જે પટેલ તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા ૩૪ અન્વયે વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે COVID-19 નો Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.

જેમાં COVID-19 નો કેસ મળી આવેલ હિંમતનગર તાલુકાના હિંમતનગર શહેરના કાંકણોલ ગામમાં આવેલા ચિત્રકુટ સોસાયટીમાં આવેલ ફાલ્ગુનીબેન પ્રવિણભાઇ પ્રજાપતિ ઘરની લાઇનમાં ઘર નં. ૧૦૯ થી ૧૧૫ ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે.
જેમાં COVID-19 નો કેસ મળી આવેલ હિંમતનગર તાલુકાના હિંમતનગર શહેરના સુર્યોદય બંગ્લોઝમાં ઘર નં. બી-૩૭ થી બી-૪૪ સુધી તથા સત્યમ ફ્લેટના બી બ્લોકના ૨૦ ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે.

જેમાં COVID-19 નો કેસ મળી આવેલ પ્રાંતિજ તાલુકાના પ્રાંતિજ શહેર આવેલા કાસવાડ મહોલ્લો વોરવાડમાં ફાતમા ખાતુન જમાલુદ્દીન ભુતીયાવાલાના ઘરથી ફિદાયત હુસૈન અ. હકીમ કારકુનના ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં COVID-19 નો કેસ મળી આવેલ ઇડર તાલુકાના ખોડમ ગામમાં આવેલા રાઠોડ લાલસિંહ ગોબરસિંહના ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે.

જેમાં COVID-19 નો કેસ મળી આવેલ ઇડર તાલુકાના સાબલી ગામમાં આવેલા મન્સુરી રફીકભાઇ વલીભાઇના ઘરથી મન્સુરી દાઉદભાઇ સુલેમાનભાઇના ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં COVID-19 નો કેસ મળી આવેલ તલોદ તાલુકાના રણાસણ ગામમાં આવેલા દિલીપભાઇ ડાહ્યાભાઇ નાઇના ઘરથી રમણભાઇ બાબુભાઇ પ્રજાપતિના ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં COVID-19 નો કેસ મળી આવેલ તલોદ તાલુકાના હરસોલ ગામમાં આવેલા ઘાંચીવાડ વિસ્તારમાં આયુબભાઇ કાસમભાઇ મનસુરીના ઘરથી ઇમ્તિયાજ મિયા કરમમીયા મલેકના ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે.

જેમાં COVID-19 નો કેસ મળી આવેલ તલોદ તાલુકાના સલાટપુર ગામમાં આવેલા મહેશભાઇ રાવજીભાઇ પટેલના ઘરથી ધનજીભાઇ જીવાભાઇ પટેલના ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ( તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મુક્યા છે.

બફર ઝોન
ઇડર તાલુકાના ખોડમ ગામ વિસ્તારને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે.
ઇડર તાલુકાના સાબલી ગામ વિસ્તારને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે.
તલોદ તાલુકાના રણાસણ ગામ વિસ્તારને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે.
તલોદ તાલુકાના હરસોલ ગામ વિસ્તારને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે.
તલોદ તાલુકાના સલાટપુર ગામ વિસ્તારને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે.

આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ, વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરતાં પાસ ધારકો તેમજ ત્યાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને જથ્થાબંધ બજારોને નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવશે, આ જાહેરનામુ તા. ૧૯ જુલાઇ ૨૦૨૦ સુધી અમલી રહેશે જો કોઇ આ હુકમનો ભંગ કરતા માલૂમ પડશે તો તેમની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ-૧૮૮, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!