પંચમહાલ જિલ્લાના 30 કોરોના પોજીટીવ દર્દીઓએ કોરોનાને માત આપી

ગોધરા : પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના 29 નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા 1284 એ પહોંચી
નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 23 કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 6 કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી 10 હાલોલમાંથી 06અને શહેરામાં 01 કાલોલમાં 06 કેસ આવેલ છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 1003 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી 01,કાલોલ ગ્રામ્યમાંથી 01 અને હાલોલ ગ્રામ્ય માંથી 3 ઘોઘંબા માંથી 1 કેસ મળેલ છે,જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા 279 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 30 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 840 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 373 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.
નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 23 કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 6 કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી 10 હાલોલમાંથી 06અને શહેરામાં 01 કાલોલમાં 06 કેસ આવેલ છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 1003 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી 01,કાલોલ ગ્રામ્યમાંથી 01 અને હાલોલ ગ્રામ્ય માંથી 3 ઘોઘંબા માંથી 1 કેસ મળેલ છે,જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા 279 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 30 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 840 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 373 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)