રાજકોટ : પોલીસમાં ફરજ બજાવતા 11 જવાનોની આંતરિક બદલીનો હુકમ

- પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા વધુ 11 જવાનોની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચના અનિલ સોનારા અને જયદીપસિંહની ટ્રાફિક શાખામાં, કુલદિપસિંહની પ્ર. નગરમાં, ટ્રાફિક શાખાના હાર્દિકભાઈની B ડિવિઝનમાં, સંજયભાઈની આજીડેમમાં, કરણભાઈની ભક્તિનગરમાં અને પ્રદીપસિંહની B ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. જયારે હેડ ક્વાટરમાંથી સાગરભાઈની માલવિયાનગરમાં અને જાવેદ હુસેન રીઝવીની આજીડેમ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સાથોસાથ થોરાળામાંથી હિતેન્દ્રસિંહની કુવાડવા અને તાલુકાના બળદેવસિંહની M.O.B માં બદલી કરવામાં આવી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)