થરાદ તાલુકાના થેરવાડા ગામે વીજકરંટથી એકનું મોત

થરાદ તાલુકાના થેરવાડા ગામમાં આજે એક ઈસન નું આકસ્મિક મોત નિપજ્યું હતું. થેરવાડા ગામમાં સવારે વહેલા દુર્ધટના થવાથી મોત ને ભેટતા સમગ્ર થરાદ પંથકમાં શોક ની લાગણી પ્રસરી જવા પામી છે. વીજ કંપનીના હલકી કામગીરીનાં લીધે એક યુવાન નો ભોગ લીધો છે સવારે દુધ મંડળી એ દુધ ભરાવા નિકળેલ અને અચાનક વીજ લાઇન નો વાયર ઉપર પડતા મોત નિપજ્યું હતું. આ યુવાન ભરતભાઈ જોન્તીભાઈ ઠાકોર થેરવાડા ગામના વતની છે આ કરુણ ઘટના ને પગલે તેમના પરિવાર ઉપર દુ:ખ નો પહાડ તુટી પડયો હતો.