થરાદના મીઠા રોડે કોલેજ પાસે અકસ્માતમાં એક નું મોત

થરાદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત ની ફરિયાદ નોંધાવતા થરાદ તાલુકાના ડેલ ગામના અમરતભાઈ વાઘજીભાઈ ઓઝા સોમવારે સવારે થરાદ ખાતે આંગણવાડીની મીટીંગ હોય પોતાની પત્ની ગુણીબેનને થરાદ મુકવા માટે આવેલ હતા. આ વખતે થરાદ મીઠા રોડ ઉપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના દરવાજા પાસે તેમના જીજે 08 બીકે 1638 નંબરના મોટરસાયકલને રોડની સાઈડો જોયા વગર પોતાની જીપ હંકારી જીજે 27 સીએફ 8055 નંબરની સ્કોર્પીયોનાચાલકે ટક્કર મારી હતી.આથી રોડ પર પટકાયેલા અમૃતભાઈને માથાના ભાગે વાગવાથી ગંભીર થવા પામી હતી. જેમને તાબડતોબ સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન બપોરના 1:30 વાગ્યાના સુમારે તેમનું બેભાન અવસ્થામાં જ કરુણ અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ શૈલેષભાઈ વાઘજીભાઈ ઓઝા રહે. ડેલ દેવડાવાસ થરાદએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નાસી છુટેલા સ્કોર્પિયો જીપના ચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે શહેર અને પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756