કોવીડ વેક્સિનેશનમાં સહભાગી થવા ચલાલા દાન મહારાજ આશ્રમના મહંત શ્રી વલકુબાપુએ અપીલ કરી

કોવીડ વેક્સિનેશનમાં સહભાગી થવા ચલાલા દાન મહારાજ આશ્રમના મહંત શ્રી વલકુબાપુએ અપીલ કરી
Spread the love

અમરેલી : સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ આજથી કોવીડ વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે અમરેલીના ચલાલા ખાતે આવેલા સુપ્રસીદ્ધ દાન મહારાજ આશ્રમના પૂજ્ય મહંત શ્રી વલકુબાપુએ જાહેર જનતાને કોવીડ વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં સહભાગી થવા નમ્ર અપીલ કરી હતી.

નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં આજથી શરૂ થતાં કોવીડ વેક્સીનેશન ડ્રાઈવના ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ તેમજ ૪૫ થી ૬૦ વર્ષ સુધીના કો-મોરબીડ કંડીશન એટલે કે જેઓ ડાયાબિટીસ, હાયપટેન્શન, હ્રદયરોગ વિગેરે જેવી બીમારીથી પીડાતા હોય એવા તમામ લાભાર્થીઓને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અને જિલ્લાની ૬ ખાનગી હોસ્પિટલો ખાતે રૂ. ૨૫૦/- ચૂકવી રસી આપવાની કામગીરી કરવામાં આવશે.

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

IMG-20210301-WA0029.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!