ગાંધીનગર ડેપોને વાયુ પ્રદૂષણ ઘટાડનારી 4 BS-6 ST બસ મળશે

ગાંધીનગર ડેપોને વાયુ પ્રદૂષણ ઘટાડનારી 4 BS-6 ST બસ મળશે
Spread the love

રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા માટે એસટી નિગમને બીએસ-6 1000 એસટી બસો ફાળવવામાં આવી છે. તેમાં નગરના ડેપોને ચાર બસો ફાળવવામાં આવી છે. બસની ખાસિયત એ છે કે પ્રદૂષણ કરતા તત્વો ઓછા નિકળતા ઇકો ફ્રેન્ડલી બસ બની રહેશે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને કુલ-1000 બીએસ-6 એસટી બસો ફાળવાઈ છે. તેમાંથી ગાંધીનગર ડેપોને કુલ 4 એસટી બસો આપવામાં આવનાર છે.

ડેપો મેનેજર કિર્તનભાઇ પટેલે જણાવ્યું છે કે બીએસ-6 પ્રકારની બસમાંથી વાતાવરણને પ્રદૂષણ ફેલાવતા નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ઓછો નિકળશે. આથી વાતાવરણમાં પ્રદૂષણના કણોમાં ઘટાડો નોંધાશે. એસટી બસમાં આગળ-પાછળ સેન્સર લગાવવામાં આવ્યા છે. આથી રિવર્સ લેતી વખતે બસની પાછળ અન્ય કોઇ વાહન અમુક અંતરે આવતા જ ડ્રાઇવરની કેબિનમાં અવાજ થશે. તેજ રીતે આગળ પણ સેન્સર હોવાથી અમુક અંતરથી વધુ બસ આગળ ઉભેલા વાહનની નજીક લઇ જઇ શકાશે નહી. બીએસ-6 બસની કિંમત રૂપિયા 16.58 લાખની છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!