મોરબીમાં વાવાઝોડાની અસર વચ્ચે 527ના ટેસ્ટમાંથી 23 પોઝિટિવ, આજે 76 સાજા થયા

મોરબીમાં વાવાઝોડાની અસર વચ્ચે 527ના ટેસ્ટમાંથી 23 પોઝિટિવ, આજે 76 સાજા થયા
Spread the love
  • આજે પણ કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયું
  • જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 538
  • સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6331 કેસમાંથી 5452 સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ સરકારી તંત્રએ વાસ્તવિક આંકડા નજીક કેસ દર્શાવવાનું શરૂ કર્યું હોય તેમ 18 મેં, મંગળવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 527 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 23 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે તંત્રએ આજે અગાવના એક મૃત્યુને કોવિડ ડેથ જાહેર કર્યું છે. જ્યારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા પણ આજે સતત ત્રીજા દિવસે એક પણ મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી નથી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ
મોરબી સીટી : 13
મોરબી ગ્રામ્ય : 03
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 02
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 23

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
મોરબી તાલુકામાં : 49
વાંકાનેર તાલુકામાં : 03
હળવદ તાલુકામાં : 13
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 10
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 76

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત
કુલ એક્ટિવ કેસ : 538
કુલ ડિસ્ચાર્જ કેસ : 5452
મૃત્યુઆંક : 87 (કોરોનાના કારણે) 254 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 341
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 6331
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 281625

રીપોર્ટ : જનક રાજા, મોરબી

18-06-13-JILLA-PANCHAYAT-MORBI-750x430.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!