વા અને જૂના સચિવાલય સહિત 15 જેટલી સરકારી બિલ્ડિંગો પાસે જ ફાયર NOC નથી

વા અને જૂના સચિવાલય સહિત 15 જેટલી સરકારી બિલ્ડિંગો પાસે જ ફાયર NOC નથી
Spread the love

ગુજરાતની અનેક હોસ્પિલોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી થઈ રહી છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનોએ હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ગુજરાત સરકાર જ સૌથી મોટી ડિફોલ્ટર હોય એવો ખુલાસો થયો છે.

પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. જૂના અને નવા સચિવાલય તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં ફાયર સેફ્ટીનું NOC નથી. તેમજ વડોદરાની 646 હોસ્પિટલ ફાયર NOC વિના ચાલી રહી છે. માત્ર એટલું જ નહીં, ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી સંશોધન સંસ્થામાં પણ ફાયર એનઓસી નથી. જો કે 22 સરકારી ઇમારતોમાં ફાયર એનઓસી છે. જેમાં એસેમ્બલી બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલ વગેરેનો સમાવેશ થાય છે.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!