મોરબી: લોહાણા સમાજના વિદ્યાથીઓ માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાશે

મોરબી: લોહાણા સમાજના વિદ્યાથીઓ માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાશે
મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવશે.
જેમાં તા.૩૦-૬-૨૦૨૧ બુધવાર થી દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતેથી કરવામાં આવશે. જેમા વિદ્યાર્થી એ વર્ષ ૨૦૨૦ ની માર્કશીટની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. તેમ ગીરીશભાઈ ઘેલાણી તથા નિકુંજભાઈ કોટકે યાદીમાં જણાવ્યુ છે.
રિપોર્ટ: જયેશ બોખાણી