વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને તેને લગતા મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ માટેનો શૈક્ષણિક સેમિનાર

Yes (Youth, Educational and Social Group ) ગ્રુપ આયોજિત શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમીનાર
યસ ગ્રૂપ થકી DIET ઇડર ખાતે
આજે *ધો-10 તથા ધો-12 પછી શું? એ વિષય અંતર્ગત શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર,* ડૉ.પ્રો. એ. એલ.સુતરીયા સાહેબની અધ્યક્ષતામાં કોરોનાની સંપૂર્ણ ગાઈડ લાઈન મુજબ યોજી *વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને તેને લગતા મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ માટેનો શૈક્ષણિક સેમિનાર*
*1. ચિંતનભાઈ દાસ*
(દાસ ગ્રુપ ડાયરેકટર,DGGS ઇડર)
*2. વસંતભાઇ સુતરીયા અરોડા*
(ITI ઇન્ટ્રક્ટર ડાયરેકટર,વડોદરા) ના સાંનિધ્યમાં YES ગ્રૂપના સભ્યો દ્વારા આયોજિત કરવામાં આવ્યો….
સાથે સાથે Agriculture વિભાગની માહિતી હર્ષદભાઈ જિંદાલ અને હરેશભાઈ વર્મા ,Army ને લગતી માહિતી નિવૃત્ત આર્મી મેન અને આર્મી ટ્રેનર જીતુભાઈ રૂવચ દ્વારા પૂરી પાડવામાં આવી.સેમિનારના અંતે *યસ ગ્રૂપના બે સભ્યોના દાનની મદદથી મળેલ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક આવેલ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો…* તેમજ સેમિનારના અંતે સમાજના દાતાશ્રી દ્વારા મળેલ હળવો નાસ્તો આપવામાં આવ્યો.સમાજના દાતાશ્રી અને કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકના યસ ગ્રૂપ ના બંને દાતાશ્રીઓનો પણ યસ ગ્રૂપ વતી આભાર વ્યક્ત કરવામાં આવે છે..સાથે સાથે આજના સેમિનારમાં ઉપસ્થિત રહ્યા એ બદલ વિદ્યાર્થીઓ અને વાલીઓ નો પણ દિલથી આભાર વ્યક્ત કરવામાં આવે છે…
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા