રાજકોટ માં પોલીસ દ્વારા વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા

રાજકોટ માં પોલીસ દ્વારા વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા
Spread the love

રાજકોટ ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલ ખાતે ટ્રાફિક અડચણ ઉભી ન થાય તે માટે આગોતરી તૈયારી કરી એઇમ્સ રોડ પર પોલીસ દ્વારા એઇમ્સ હોસ્પિટલ નજીક ૨ ટ્રાફિક પોલીસ ચોકી બનાવવામાં આવનાર છે. જેનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇનોગ્રેશન કરવામાં આવનાર છે. રામનાથપરા પોલીસ લાઇનમાં ૩૧૦ પરિવાર રહેતા હોવાથી તેઓને લગ્ન પ્રસંગ દરમિયાન સારી સગવડ મળી રહે તે હેતુસર બનાવવામા આવેલા કોમ્યુનિટી હોલનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રામનાથપરા પોલીસ લાઇન ખાતે ઓપન પાર્ટી પ્લોટ પાસે ૬૫ વૃક્ષો ઉછેરવામાં આવનાર છે. તથા થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું રામનાથપરા ખાતે કરવામાં આવશે, રાજયમાં સૌ.પ્રથમ આધૂનિક ટેકનોલોજીના ઉપયોગમાં રાજકોટ શહેર સર્વે પ્રથમ છે. તેમાં સંર્પક સોફવેરનું તા.૨ ઓગસ્ટના રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ સોફવેરની મદદથી વિભાગના હેડ સિધો જ તમામ પોલીસ મથકનું ઓનલાઇન લેટપોટ કે મોબાઇલ દ્વારા મોનિટરીંગ કરી શકશે. રાજકોટ શહેરમાં નશીલા પર્દાથના વેચાણ અને હેરફેર કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે નાકોર્ટિક સેલ માટે સ્ટ્રેન્થની ફાળવણી કરવામાં આવી છે. જે નાકોર્ટિક સેલની મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવનાર છે. શહેરમાં બાળકોને ઉઠાવી તેઓ પાસેથી મજુરી, ભીખ મંગાવવી અને અન્ય વ્યવસાયમાં ધકેલી દેવાના ગંભીર ગુના અટકાવવા તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા શખ્સો સામે સખ્ત પગલ લેવા માટે એન્ટી હ્મુમન ટ્રાફિકીંગ યુનિટનો પ્રારંભ કરવામાં આવનાર છે. કોરોના મહામારી દરમિયાન ફરજ પરના પોલીસ સ્ટાફના થયેલા અવસાન અંતર્ગત મૃતકના પરિવારજનોને રૂા.૨૫ લાખનો ચેક મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવશે. તેમજ પોલીસને મદદરૂપ થયેલા અને ગુના અટકાવવા જાગૃતિ દાખવનારનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે, નારી ગૌરવ દિન અંતર્ગત તા.૪ ઓગસ્ટના રોજ પોલીસ કમિશનર કચેરી અને પોલીસ મથક ખાતે મહિલા ઉત્ક્રષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. વ્યંજકવાદ વિરૂધ્ધ તા.૬ ઓગસ્ટના રોજ શહેર પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવનાર છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!