માંગરોળ : નવયુગ પ્રાથમિક શાળા માં વિવિઘ પ્રકારની પ્રવૃત્તિઓ નું આયોજન

માંગરોળ : નવયુગ પ્રાથમિક શાળા માં વિવિઘ પ્રકારની પ્રવૃત્તિઓ નું આયોજન
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે તારીખ 1જાન્યુઆરી 2022 ના રોજ રાજકુમાર એજ્યુકેશનલ એકેડેમી અંતર્ગત ચાલતી નવયુગ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ ) માં બાળકોના સર્વાંગી વિકાસ ને સાર્થક કરવા દરેક શનીવારે વિવિઘ પ્રકારની પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ગત તારીખ 1/1/22 ને શનીવાર ના રોજ બાળકોમાં પક્ષીઓ પ્રત્યે પ્રેમ, કરુણા અને સંવેદના નો ગુણ કેળવાય અને અબોલ પશુ પક્ષીઓ માટે સેવા ભાવ જન્મે તે હેતુથી માંગરોળ સ્થિત સંજીવની નેચર ફાઉન્ડેશન ના સહયોગથી પક્ષીઓ ના માળાઓ ના નિર્માણ કાર્ય ની પ્રવૃત્તિ નૂ આયોજન કરવામાં આવ્યું….આ પ્રસંગે સંજીવની નેચર ફાઉન્ડેશન ના ફાઉન્ડર શ્રી નરેશભાઇ ગોસ્વામી તેમજ નિલેષભાઈ રાજપરા એ ઉપસ્થિત રહીને બાળકોને વિવિધ પ્રકારના પક્ષીઘર બનાવતા શીખવ્યું જેનું મટીરીયલ્સ પણ સાથે લાવ્યા હતા….આ પ્રસંગે તેઓએ અબોલ પશુ પક્ષીઓ ની સેવા,સંભાળ, સારવાર કેવી રીતે કરવી તે અંગે ની જાણકારી આપી બાળકોને જાગૃત કર્યા હતા ..સંજીવની નેચર ફાઉન્ડેશન માં હાલ 250 થી પણ વધુ સભ્યો આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે ….આવી પ્રવૃત્તિઓ ની સરાહના કરતા રાજકુમાર એજ્યુકેશનલ એકેડેમી ના ટ્રસ્ટીશ્રી હરીન્દ્રભાઈ ,મનોજભાઇ, અશોકભાઈ તેમજ પ્રિન્સિપાલશ્રી સુનિલભાઈ કાચા એ સંજીવની નેચર ફાઉન્ડેશન નો આભાર વ્યક્ત કર્યો હતો..આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર ગુરુજનો એ ખૂબજ જહેમત ઉઠાવી હતી…