માં અંબા ના પ્રાગટ્ય દિવસે અંબાજી મંદિર માં 56 ભોગ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલી ની પહાડો મા ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે આ ધામ મા વર્ષ દરમિયાન માં અંબા ના ભક્તો માતાજી ના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી ધામ મા નવરાત્રી અને ભાદરવી મહામેળા દરમિયાન માતાજી ના ભક્તો સૌથી વધુ દર્શન કરવા આવે છે આ સિવાય પોષી પૂનમ ના દિવસે પણ માતાજી ના અસંખ્ય ભક્તો આ ધામ માં આવતા હોય છે ,પોષી પૂનમ ને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે આ પૂનમ ને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજનો પવિત્ર દિવસ પ્રાગટય દિવસ તરીકે પણ ઓળખાય છે કોરોના ના ગ્રહણને અંબાજી મંદિર મા સરકાર ની ગાઇડલાઇન પણ પાલન કરવામાં આવ્યો હતુ. અંબાજી મંદિર મા માતાજી ના ભક્તો વહેલી સવારે થી ભક્ત ની પાખી હાજરી જોવા મળી હતી આજે અંબાજી મંદિર મા મહા શક્તિ યજ્ઞ યોજાયો હતો
ત્યારબાદ ગબ્બર ખાતે થી અખંડ જ્યોત લાવી ચાચર ચોકમાં મહા આરતી ઉતાર્યા બાદ અંબાજી મંદિર માં બપોરે 12 વાગે અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી અને 56 ભોગ નો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો
**અંબાજી ધાર્મિક સેવા સમિતિ દ્વારા ગબ્બર થી માતાજી જ્યોત લાવી ને માતાજી ની આરતી કરવામાં આવી ને બનાસકાંઠા જિલ્લા કલેકટર ને મંદિર વહીવટદાર ને મંદિર ના કમૅચારીઓ ને ધાર્મિક સેવા સમિતિ ના સ્વયં સેવક હાજર રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756