ઉવારસદ : વિજેતા સરપંચે કાર્યભાર સંભાળ્યો

ઉવારસદ : વિજેતા સરપંચે કાર્યભાર સંભાળ્યો
ઉવારસદ ગ્રામ પંચાયતની ચુટણીમા વિજેતા થઇ સરપંચ પદ મેળવનાર જીવણજી પ્રતાપજી ઠાકોરે તા.૧૭/૦૧/૨૦૨૨ સોમવાર ને પોષ સુદ પુનમના દિવસે પદ ગ્રહણ કરી કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી જીવણજીનુ અભિવાદન કરી શુભેચ્છા પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉવારસદ ગામની ચુટણીમા ૧૧ ઉમેદવારોએ જંપલાવ્યુ હતુ. જેમા ૭ ઠાકોર ૩ પટેલ અને ૧ પ્રજાપતી હતા. જેમા હરહંમેશ ગ્રામજનોના દરેક કાર્યોમા ઉભા રહેતા સેવાભાવી અને કર્તવ્ય પરાયણ જીવણજી પ્રતાપજી ઠાકોર ૧૨૦૦ મત મેળવી વિજેતા થયા હતા. જીવણજીના પદગ્રહણ પ્રસંગે અભિનંદન પાઠવવા ગામની દરેક કોમના લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756