પત્નીનું ખૂન કરવાની કોશિષ કરનાર પતિને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલ આંગણવાડી ની ઓફિસમાં નોકરી કરતા ફરિયાદી સ્મિતાબેન નલિંચંદ્ર પરમાર જાતે સલાટ ઉવ. 34 રહે. ચંદનપાર્ક સોસાયટી, છગનમામાની સોસાયટી પાસે, ગિરનાર દરવાજા, જૂનાગઢ ઉપર બપોરના અઢી પોણા ત્રણ વાગ્યાના સુમારે આરોપી તેના પતિ મનીષભાઈ હરેશભાઈ પટેલ જાતે વાણિયા ઉવ. 34 રહે. કોલેજ રોડ, શ્રીનાથજી કોમ્પલેક્ષ, જૂનાગઢ દ્વારા પોતાના લાયસન્સ વાળા 12 બોર હથીયારમાંથી ફાયરિંગ કરી, ઈજા પમાડી, ખૂનની કોશિશ કરવામાં આવતા, ફરિયાદીની ફરિયાદ આધારે ખૂનની કોશિશ નો ગુન્હો નોંધી, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ એમ.એમ.વાઢેર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે…_
બપોરના સમયે દાણાપીઠ ખાતે આવેલ આંગણવાડી ની ઓફીસ ખાતે ફાયરિંગ થયેલાં અંગેના મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મળતા, જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પો.ઇન્સ. એમ.એમ. વાઢેરના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. કે. પરમાર, એ.બી . દતા તથા સ્ટાફના એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. પંકજભાઈ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ, કલ્પેશભાઈ, પ્રવીણભાઈ, સહિતની પોલીસ ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચતા, આરોપી પતિ મનીષ પટેલ ફરિયાદી પત્ની ઉપર હુમલો કરવાનું ચાલુ જ હોય, પોલીસ ટીમ દ્વારા જોખમ ઉઠાવી, આરોપી મનીષ પટેલને 12 બોર હથિયાર સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલ હતો અને ગંભીર ઈજા પામનાર ફરિયાદી સ્મિતાબેન પરમારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. જો પોલીસ તાત્કાલિક સમયસર પહોંચેલ ના હોત તો, આરોપી પતિ મનીષ પટેલ દ્વારા પત્ની સ્મિતાબેન પરમારનું ખૂન કરી નાખવામાં આવત. આમ, પોલીસ ટીમ દ્વારા સમયસર તાત્કાલિક પહોંચી, આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવતા, ફરિયાદીની જિંદગી બચી ગયેલ હતી…_
આ ગુન્હામાં રાઉન્ડ અપ કરવામાં આવેલ આરોપી મનીષ હરેશભાઈ પટેલ જાતે વાણિયાની જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર, પીએસઆઈ એ. કે. પરમાર, એ.બી . દતા તથા સ્ટાફના એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. પંકજભાઈ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ, કલ્પેશભાઈ, પ્રવીણભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન પ્રાથમિક પૂછપરછ કરતા પકડાયેલ આરોપી મનીષ પટેલ આર્મીમાં મેડિકલ કોર AMC રેજીમેન્ટમાં મેરઠ ઉતરપ્રદેશ ખાતે નાયક તરીકે નોકરી કરે છે. પોતાના ઈજા પામનાર સ્મિતાબેન પરમાર સાથે સને 2014 ની સાલમાં લગ્ન થયેલાં હતા અને સંતાનમાં પુત્ર આરવ ઉવ. 07 છે. લગ્નજીવન દરમિયાન પતિ પત્ની વચ્ચે મતભેદ થયેલાં પરંતુ, સમજાવટ કરીને પત્ની પોતાના ઘરે લાવેલ હતા. ફરીથી છેલ્લા છ સાત મહિનાથી મતભેદ થતાં, પત્ની સ્મિતાબેન પોતાના માતાપિતાના ઘરે ચાલી ગયેલ હતી. આરોપીના કુટુંબમાં મરણ થતાં, આરોપીને પોતાના યુનીટમાંથી રજા નહિ મળતા છેલ્લા બે માસથી વગર રજાએ જૂનાગઢ આવી ગયેલ હતો. આ બે મહિના દરમિયાન આરોપી દ્વારા પોતાની પત્નીને બોલાવવા પ્રયત્નો કરતા અને પોતાના સંતાનને મળવા મોકલવા જણાવતા, પોતાની પત્ની કે સંતાન મળવા આવેલ ના હતા. પોતાની પત્ની આંગણવાડીમાં નોકરી કરતી હોય, આજરોજ પોતે રજા ઉપરથી હાજર થવાનો હોય, પોતે પત્ની અને પુત્રને પ્રેમ કરતો હોય, જીવનમાં પોતાને દગો કર્યો હોય, પોતાની લાગણીને મજાક બનાવેલ હોય, પુત્રને મળવા દેતી ના હોય, જિંદગી બગાડી નાખી હોવાનું જણાવી, નોકરીની જગ્યાએ આંગણવાડી દાણાપીઠ ખાતે જઈને બહાર બોલાવી, ફાયરિંગ કરી, હથિયારના બટ વડે પગમાં ઈજા કરી, ફ્રેકચર કરવામાં આવેલા ની કબૂલાત કરવામાં આવેલ છે…_
હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ખૂનની કોશિશ નો ગુન્હો નોંધી, આરોપીને કોવિડ ટેસ્ટ કરાવી, ધરપકડ કરવા, વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે….._
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756