માળીયા હાટીના તાલુકાના માલધારી સમાજ દ્વારા સૂત્રોચારો કરી મામલતદાર ને આવેદન આપ્યુ

માળીયા હાટીના તાલુકાના માલધારી સમાજ દ્વારા સૂત્રોચારો કરી મામલતદાર ને આવેદન આપ્યુ
Spread the love

માળીયા હાટીના તાલુકાના માલધારી સમાજ દ્વારા સૂત્રોચારો કરી મામલતદાર ને આવેદન આપ્યુ

માળીયા હાટીના તાલુકાના માલધારી સમાજ ને વિવિધ ભરતી માં નિમણુંક ન અપાતા નિમણુંક ની માગ સાથે સૂત્રોચારો કરી મામલતદાર માળીયા હાટીના ને આવેદન પાઠવ્યું હતું

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીઓ જેવી કે લોકરક્ષક દળ (LRD), રાજ્ય પરિવહન (GSRTC), PGVCL, GPSC સહિત ભરતીઓમાં સિલેક્ટ થયેલ છે. પરંતુ જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને લગભગ છેલ્લાં ત્રણ વર્ષથી માલધારી સમાજને નિમણુંક આપવામાં આવેલ નથી. માલધારી સમાજનાં અંદાજીત ૩૦૦ જેટલા ઉમેદવારો છેલ્લાં ઘણા વર્ષોથી નોકરીથી વંચિત છે.

જ્યારે નામદાર સર્વોચ્ચ ન્યાયાલયના ખાસ દીવાની અપીલ નંબર ૫૮૫૪/૧૯૯૪ ના ચુકાદામાં આપેલ ગાઇડલાઇનના પેરા ૧૩.૯ અને ૧૩.૧૦ મુજબ પ્રમાણપત્રની ચકાસણીમાં નિયત કરેલ ૬૦ દિવસ ઉપરનો સમય લાગે તો પ્રોવિઝનલ નિમણુંક આપવી તેવું જણાવેલ છે પરંતુ છેલ્લા 3 વર્ષ થી પ્રોવિઝનલ નિમણુંક પણ આપવામાં આવેલ નથી જેથી માળીયા હાટીના તાલુકા ના માલધારી સમાજ દ્વારા આવેદન માં જણાવેલ કે આગામી વિવિધ ભરતી માં નિમણુંક કરવામાં નહિ આવે તો આગામી દિવશો માં કલેકટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરશું

રિપોર્ટ :- પરેશ કુમાર વાઢીયા (માળીયા હાટીના)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!