સેમરાળા ખાતે યોજાયેલ પાટીદાર સમુહ લગ્નમાં નવદંપતિને કીટ વિતરણ કરાઇ

સેમરાળા ખાતે યોજાયેલ પાટીદાર સમુહ લગ્નમાં નવદંપતિને કીટ વિતરણ કરાઇ
નવદંપતિને દિકરી તુલસીનો ક્યારો અને દિકરી જન્મ અંગે માર્ગદર્શન અપાયું
જૂનાગઢ : જૂનાગઢના સેમરાળા ખાતે પાટીદાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા પાંચમા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સહભાગી થઇ નવદંપતિને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી.
તે ઉપરાંત આ યોજના હેઠળ નવદંપતિ સંમેલન યોજવામાં આવેલ અને દિકરી તુલસીનો ક્યારો છે અને સમાજમાં દિકરી જન્મને આવકારવાની, દિકરીના શિક્ષણ, આરોગ્ય માટે મહત્તમ પગલા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સમૂહ લગ્નો દ્વારા ખર્ચને ઘટાડી દિકરીના ભવિષ્ય માટે નાણાની બચત થાય અને દિકરીઓ માટે લગ્નની તમામ વિધિ સાથે માતા-પિતા જે પોતાની દિકરીના સુખી લગ્ન જીવન માટે જે કરીયાવર આપે છે, તે તમામ વસ્તુઓ તથા તેમના લગ્નની તમામ જવાબદારી પાટીદાર સમૂહ લગ્ન સમિતિ-સેમરાળા દ્વારા ઉપાડવામાં આવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756