અંકલેશ્વર ની સબજેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરાઈ

અંકલેશ્વર ની સબજેલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરાઈ
Spread the love

જેસીઆઇ અંકલેશ્વર દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી અંકલેશ્વર સબજેલમાં કરાઈ

રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે જેમાં બેહન ભાઈને રાખડી બાંધીને ભાઈની લાંબી ઉંમર તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ તેની રક્ષા કરવાની જિમ્મેદારી લે છે..

આવા જ શુદ્ધ અને ઉચ્ચ વિચારોથી જેસીઆઇ અંકલેશ્વર પરિવારે સબજેલમાં રક્ષાબંધન ના તહેવારની ઉજવણી કરી જેમાં જેલમાં રહેતા 60 થી વધારે કેદીઓને રાખડી બાંધી તેમને પણ હકારમત જીવન જીવવા પ્રેરિત કર્યા..

આ કાર્યક્રમ માં અંકલેશ્વર મામલતદાર શ્રી રાજપૂત સાહેબ, અંકલેશ્વર નાયબ મામલતદાર શ્રી અલ્પેશભાઈ પરમાર, અંકલેશ્વર સબજેલ ના જેલરસાહેબ ને પણ રાખડી બાંધી કાર્યક્રમમાં ઉત્સાહ ઉમેર્યો..

જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઈસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, જેસી શીતલ જાની, જેસી ચંચલ જૈન, જેસી શ્યામા શાહ જેસી શ્રીમાતા હાજર રહ્યા હતા.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!