ડભોઇ તાલુકા ના કરનાડી ખાતે નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પ યોજાયો

ડભોઇ તાલુકા ના કરનાડી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ.વિશ્વનેતા તરીકે ની ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 72 માં જન્મદિવસ ને લઈ સમગ્ર દેશ માં ભાજપ ના હોદ્દેદારો,કાર્યકરો દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ડભોઈ તાલુકા ના યાત્રાધામ કરનાડી ખાતે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ની આગેવાની માં ભાજપ સંગઠન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યા માં રક્ત દાતાઓ તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી રક્તદાન કરી વડાપ્રધાન ના જન્મદિવસ ની ઉજવણી કરી હતી.2001 માં ગુજરાત ના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી ની રાહ પડકારો થી ભરેલી હતી પરંતુ તમામ પડકારો ને પાર પાડી મોદીજી સફળતા ની સીડીઓ ચઢતા ગયા અને આજે દેશ ના સર્વોચ્ચ પદ પર બિરાજમાન છે ત્યારે દેશ ના વડાપ્રધાન ના જન્મ દિન નિમિતે કરનાડી કુબેર મંદિર ખાતે વિશેષ આરતી કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટે પાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિત દત્તુસિંહ,વિરપાલસિંહ રાજ,અમિત સોલંકી,દીક્ષિત પંડ્યા,સહિત યુવા મોરચા ના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756