ડભોઈ ના ફરતીકુઈ ખાતે તાજેતરમાં જ બનેલા આર.સી.સી રોડ માં તિરાડો પડતા ભ્રષ્ટાચાર ની સંભાવના!

ડભોઈ તાલુકા ના ફરતીકુઈ ખાતે આર.સી.સી રોડ બનવા પામેલ છે જેમાં ભ્રષ્ટાચાર ને લઈ ગ્રામ જનો એ હલ્લા બોલ કરતાં કેટલોક બનેલ રોડ તોડી નાંખી ઉપર ની કચેરી એ થી નવો બનાવવા ના હુકમ બાદ પણ ૧૫૦ મીટર રોડ ને બદલે સ્થળ પર ૧૪૦ મીટર રોડ બનેલ છે એમાય કેટલીય જગ્યાએ આર.સી .સી રોડ માં આંધળાને દેખાય એવી તિરોડો જોવા મળી છે સાથે સાથે કેટલીક જગ્યાએ આર.સી સી રોડ પર ખાડા પડી રોડ જાણે તૂટી ગયો હોય એમ લાગી રહ્યું છે ગ્રામ જનો પી.ડબલ્યુ .ડી પંચાયત વિભાગ માં ખરાબ રોડ ને લઈ વારંવાર રજૂઆત કરવા છતાંય અધિકારી ઓ જાણે કોન્ટ્રાક્ટર ને છાવરતાં હોય એવા જવાબો આપે છે સરકાર ની ગ્રાંટ ના દુર ઉપયોગ બદલ આવા અધિકારીઓ સામે કાર્યવાહી ની માંગ પણ ફરતીકુઈ માં થી ઉઠવા પામી છે કહે છે કે પી.ડબ્લયુ .ડી .પંચાયત ના ઈજનેર જો કોન્ટ્રાકટર સામે કાર્યવાહી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની તૈયારી પણ થઈ ગઇ છે હવે જોવુ રહયુ કે ઈજનેર પટેલ કેવી કાર્યવાહી કરે છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756