અમરેલી : તા.૨૬ સપ્ટેમ્બરે રોજગાર/એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે
જિલ્લા રોજગાર કચેરી,અમરેલી દ્વારા તા.૨૬ સપ્ટેમ્બરે રોજગાર/એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે
અમરેલી તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (શુક્રવાર) જિલ્લા રોજગાર કચેરી, અમરેલી દ્વારા તા.૨૬ સપ્ટેમ્બર,૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ ખાતે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને રોજગાર/એપ્રેન્ટિસ એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંગે વધુ વિગત, માર્ગદર્શન અને માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, સી બ્લોક, પહેલા માળે, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલીનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ કરવો. વધુમાં સંબંધિત તમામને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756