વલસાડ જિલ્લામાં નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા અરજીઓ મંગાવાઈ.

વલસાડ જિલ્લામાં નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવા અરજીઓ મંગાવાઈ.
ખેરગામ ,
ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી ખેત સામગ્રી સમયસર તેમજ વ્યાજબી ભાવે નજીકના સ્થળેથી મળી રહે તે માટે રાજ્ય સરકારના સરકારી સાહસ તરીકે કાર્યરત ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા 1300 થી વધારે એગ્રો સર્વિસ સેન્ટર/એગ્રી બિઝનેસ સેન્ટરોનું સંચાલન કરવામાં આવે છે. જે સેન્ટરોમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, પ્રવાહી જૈવિક ખાતરોનું વેચાણ તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓની કામગીરી કરવામાં છે. આગામી દિવસોમાં નવા એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવાના હોવાથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી પત્રક નિગમની વલસાડમાં બેચર રોડ પર સ્થિત તરણકુંડ કંપાઉન્ડમાં આવેલી દુકાન નં. 6,7માંથી તેમજ ગાંધીનગર વડી કચેરીથી ઓફિસ સમય દરમિયાન મળી રહેશે. વધુ માહિતી માટે નિગમની વેબસાઈટ www.gaic.gov.in પરથી મળી રહેશે.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756