અંબાજી મંદિર માં ઘટસ્થાપન કરવામાં આવ્યું નવરાત્રી પર્વ ઉજવાયો

અંબાજી મંદિર માં ઘટસ્થાપન કરવામાં આવ્યું નવરાત્રી પર્વ ઉજવાયો
Spread the love

અંબાજી મંદિર માં ઘટસ્થાપન કરવામાં આવ્યું નવરાત્રી પર્વ ઉજવાયો

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે 26 સપ્ટેમ્બર થી આસો નવરાત્રી પર્વ શરૂ થયો છે અને 4 ઓક્ટોમ્બર સુઘી નવરાત્રી પર્વ ચાલશે. આજે અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા હતા અને મંદિર ખાતે ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિરમાં આજે સવારે ઘટસ્થાપન વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી કરવામાં આવી હતી અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને અંબાજી મંદિરના પૂજામાં જોડાયા હતા અંબાજી પાસે આવેલી પવિત્ર કોટેશ્વર નદીના જળથી આ પૂજા કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી ખાતે આજે વિવિધ પક્ષના નેતાઓ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે હતી.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવાથા ટ્રસ્ટ અને નવયુવક પ્રગતિ મંડળ દ્વારા અંબાજી મંદિરના ચાચર ચોક માં રાસ ગરબા આયોજક કરવામાં આવી છેલ્લા ૨૨ વર્ષ થી પંચમ ગ્રુપ વિસનગર દ્વારા રાસ ગરબા ની ખેલૈયાઓ રમઝટ નો આનંદ માણે છે.નવ દિવસ નવા નવા કલાકારો દ્વારા માતાજી ની આરાધના કરી ખેલૈયા રાસ ગરબા રમી આનંદ માણી રહ્યા છે. આજે રાત્રે અંબાજી મંદિર ના ચાચરચોકમાં 9:00 કલાકે માતા ની આરતી પણ કરવામાં આવશે.

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!