જૂનાગઢની આઈટીઆઈ કેમ્પસ સીઓઈ ખાતે તા.૧૭ના ભરતી મેળો યોજાશે

જૂનાગઢની આઈટીઆઈ કેમ્પસ સીઓઈ ખાતે તા.૧૭ના ભરતી મેળો યોજાશે
ભરતી મેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાનાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ મેનપાવર ગુ્પ સર્વીસ પ્રા.લિ. (મુંદ્રા સોલાર પાવર લી. અદાણી ગૃપ) ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ૧૮ થી ૨૮ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એચ.એસ.સી. આઈટીઆઈ ડિપ્લોમા (ઈલેકટ્રીકલ/ મીકેનીકલ) ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન આઈટીઆઈ કેમ્પસ,સીઓઈ બિલ્ડીંગ પંચેશ્વર રોડ જૂનાગઢ ખાતે તા.૧૭/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથેભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signupપરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જૂનાગઢ ના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300