જામનગરમાં મનપાની પશુ માલિકોને જાહેર માર્ગો પર પશુઓને ન છોડવા તાકીદ

જામનગરમાં મનપાની પશુ માલિકોને જાહેર માર્ગો પર પશુઓને ન છોડવા તાકીદ
જામ્યુંકો દ્વારા આજે 34 ગાયોને ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરાઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોર ને ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આજે જામનગરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ભટકતા પશુઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત આજરોજ 34 ગાયોને રસ્તા પરથી પકડી ઢોરના ડબ્બે પુરવામાં આવી છે, આથી પશુ માલિકોને પણ આ તકે જાહેર માર્ગો પર પોતાના પશુઓને ન છોડવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300