અંબાજી મા 13 ખોડિયાર જયંતી ધામધૂમ થી ઉજવાઈ ” મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

અંબાજી મા 13 ખોડિયાર જયંતી ધામધૂમ થી ઉજવાઈ ” મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
Spread the love

અંબાજી મા 13 ખોડિયાર જયંતી ધામધૂમ થી ઉજવાઈ ” મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ની ગણના દેશના સૌથી મોટા શક્તિપીઠ તરીકે થાય છે આ ધામ મા માંઅંબા ના મંદિર સિવાય વિવિધ ભગવાન ના મંદિરો આવેલા છે મંદિરો ની નગરી તરીકે ઓળખાતી આ નગરી મા માતાજી ના ભક્તો સમગ્ર વિશ્વ માંથી માતાજી ના દર્શન કરવા આવતા હોય છે ,આજે મહા સુદ આઠમ ના દિવસે ખોડિયાર જયંતી હોઈ આજે અંબાજી ના ખોડિયાર ચોક મા આવેલા પ્રાચીન અને પૌરાણીક મંદિર મા વહેલી સવાર થીજ ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી , શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી ખોડિયાર યુવક મંડળ ના સહયોગ થી આજે સવારે ખોડિયાર માતા ના મંદિર પર નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમા મંડળ ના સભ્યો હવન મા બેઠા હતા સાથે અંબાજી મંદિર ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ શરુ કરવામાં આવ્યો હતો આ મંદિર મા 56 ભોગ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો

અંબાજી મંદિર ના 7 નંબર વીઆઇપી ગેટ પહેલા આવતો વિસ્તાર ખોડિયાર ચોક તરીકે જાણીતો છે ,શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક નું ખોડિયાર માતાજી નું મંદિર અંબાજી મંદિર ના 7 નંબર ગેટ પહેલા આવે છે આ મંદિર ચમત્કારીક અને પ્રાચીન હોઈ આ મંદિર આસપાસ ના લોકો પોતાની દુકાન ખોલ્યા પહેલા ખોડિયાર માતાજી ની અગરબત્તી અને દર્શન કરીને પોતાનો વેપાર શરુ કરે છે આજે આ મંદિર મા માઈ ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યા મા દર્શનાર્થે આવ્યા હતા આજે મંદિર પર ધજા રોહણ પણ કરવામાં આવ્યુ હતુ હવન ની પુર્ણાહુતી કરવામાં આવશે. ત્યારે બાદ આજે રાત્રી ના સમયે ભજન સંધ્યા નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે ,આજે ખોડિયાર મંદિર આસપાસ ની તમામ દુકાનો બંદ રાખી લોકો ખોડિયાર માતાજી ની સેવા મા જોડાયા હતા ,બપોરે ખોડિયાર માતાજી ના મંદિર થી ભવ્ય શોભાયાત્રા પણ મંડળ દ્વારા નીકાળવામાં આવશે ,ખોડિયાર મંદિર ના પૂજારી જયેશભાઇ તરફથી તમામ લોકો ને ખોડિયાર જયંતી ની શુભકામના પાઠવી છે , આજે અંદાજે 251 કિલો ની સુખડી અને બુંદી નો પ્રસાદ આપવામાં આવ્યો હતો ,આજે મોટી સંખ્યામાં ભક્તો જય માં ખોડીયાર ની જય બોલાવતા હતા આમ આજે અંબાજી ધામ માં ખોડિયાર મય બની ગયુ હતુ

 

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!