ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું
( 30 માર્ચ 2023 ગુરુવાર શ્રી રામ જન્મ જયંતી ના દિવસે ઓનલાઇન કવિ સંમેલન. )
30 માર્ચ 2023 ના રોજ વહેલી સવારે 9.00થી 11. 00 વાગ્યા સુધી ઓનલાઇન કવિ સંમેલન કાર્યક્રમ ચાલ્યો મુખ્ય મહેમાન ડૉ પ્રિતી પટેલ ગુજરાત થી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે આરતી તિવારી સનત માતૃકા વિવેક સાહિત્યિક મંચ દિલ્હી થી સુનિલ દત્ત મિશ્રા છત્રીસ ગઢથી, સ્વાતિ જેસલમેર રાજસ્થાન થી બધાં મહાનુભાવો નું પુષ્પવર્ષાથી સ્વાગત પ્રીતિ પરમાર પ્રીત સંસ્થા સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું તેઓનો પરિચય અદયક્ષ શ્રી ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવા માં આવ્યો. આ પ્રસંગે સરસ્વતી વંદના રંજના બીના ની ગોલગટા આસામ થી કરાવી હતી. કુલ 38 કવિમિત્રો એ પોતાની રચનાઓ પડદા પર મુકી હતી. વોટશોપ ગ્રુપ 371થી ખીચોખીચ ભરેલ હતો. ચાલુ કાર્યક્રમમાં ડો.શૈલેષ વાણિયા શૈંલ સંસ્થા પ્રમુખ દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતે આભારવિધિ શ્રીમતી ફોરમ આર. મહેતા ગુજરાત દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે , ગુજરાત, મહારાષ્ટ્ર. ઉત્તર પ્રદેશ છત્તીસગઢ. રાજસ્થાન મધ્ય પ્રદેશ. ઓડિશા. કર્ણાટક, દિલ્હી બિહાર વગેરે રાજ્યોના કવિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .રાષ્ટ્ગાન ચિત્રાંગનાબેન ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અંતમાંઆનંદ ની લહેર સાથે ભારત માતા ની જય બોલી છૂટા પડ્યા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300