એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ‘વ્યસન મુક્તિ સેમિનાર’ યોજાયો

એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ‘વ્યસન મુક્તિ સેમિનાર’ યોજાયો
લોકાર્પણ જામનગર : જામનગરમાં આગામી તા. 1 મે ના રોજ ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી થશે. તેના ભાગરૂપે, જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં એસ. ઓ. જી. વિભાગના સહયોગથી ‘વ્યસન મુક્તિ સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મમાં એસ. ઓ. જી. ની ટીમ દ્વારા લોકોને વ્યસનમુક્તિ અભિયાન વિષે અવગત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, સંસ્થાના એનેટોમી (શરીરરચના) વિભાગના વડા શ્રી ડો. મિત્તલ પટેલ, બાળરોગ વિભાગના વડા શ્રી ડો. ભદ્રેશ વ્યાસ, બાળરોગ વિભાગના પ્રાધ્યાપક શ્રી ડો. મૌલિક શાહ અને માનસિક વિભાગની એ. ટી. એફ. ટીમ દ્વારા ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંસ્થાના ડીન શ્રી ડો. નંદિની દેસાઈ, અધિક ડીન શ્રી એસ. એસ. ચેટરજી, સંસ્થાના પ્રાધ્યાપકશ્રીઓ, ડેન્ટલ, નર્સિંગ અને ફીઝીયોથેરેપી કોલેજના 450 જેટલા વિધાર્થીઓ તેમજ અન્ય સ્ટાફ ગણ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300