કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૮.૦૫.૨૦૨૩થી તા. ૩૦.૦૫.૨૦૨૩ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે અરવલ્લી, સાબરકાંઠા મહિસાગર, બનાસકાઠા, મહેસાણા , પાટણ, વડોદરા, ભરૂચ અને આંણદ તેમજ સોરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર, રાજકોટ, સુરેદ્રનગર, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
- જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો
- ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
- એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ છે.
- એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા.
- એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), પેટા વિભાગ ઇડર તથા જિલ્લા ખેતીવાડી અધિકારી, સાબરકાઠાં, હિમતનગર, નાયબ ખેતી નિયામક (તાલીમ), કે.વિ.કે ખેડ્બ્રહ્મા અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવો.
અગમચેતી એ જ સલામતી