જુનાગઢ સંગ્રહાલય દ્વારા આઝાદી પર્વની ઉજવણી કરાશે

જુનાગઢ સંગ્રહાલય દ્વારા આઝાદી પર્વની ઉજવણી કરાશે
જુનાગઢ : રાજ્યના યુવક સેવા, રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ના પુરાતત્વ ખાતા તથા જૂનાગઢ સંગ્રહાલય દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ પર્વના ઉપલક્ષ્યમાં તેની ઉજવણી ના આરંભે તા. ૧૩-૦૮-૨૦૨૩ના સવારનાં ૧૦ થી ૧.૩૦ વાગ્યા દરમ્યાન જુનાગઢ સંગ્રહાલય, તાજ મંઝિલ, સરદાર બાગ, જમીન મોજણી કચેરી પાસે ખાતે આઝાદી પર્વને સંદર્ભમાં રાખીને કાર્ડ, વોલ હેંગિંગ,બેગ તથા રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 83200 82742 નંબર પર રજીસ્ટ્રેશન કરાવવા સંગ્રહાલયના ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300