રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તા.૧૩મીએ કેશોદના મઢડા ખાતે શ્રી સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તા.૧૩મીએ કેશોદના મઢડા ખાતે શ્રી સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજ્યપાલશ્રીની પ્રવાસના અનુસંધાને જરૂરી વ્યવસ્થાઓ અને આયોજન સંદર્ભે બેઠક યોજાઈ
જૂનાગઢ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કેશોદના મઢડા ખાતે તા.૧૩-૦૧-૨૦૨૪ના રોજ શ્રી સોનલ માતા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે. રાજ્યપાલશ્રીના આ પ્રવાસના અનુસંધાને કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જરૂરી વ્યવસ્થાઓ અને આયોજન માટે બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ નિયત પ્રોટોકોલ અનુસાર જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવાની સાથે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત કાર્યક્રમની રૂપરેખા, મંચ પર બેઠક વ્યવસ્થા, જરૂરી પોલીસ બંદોબસ્ત સહિતના મુદ્દે જરૂરી આયોજનો માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી કિશન ગરચર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300