જૂનાગઢનું એક અનોખું તાલીમ કેન્દ્ર….જ્યાં સાહસિકતા, આત્માવિશ્વાસ, સ્વયં શિસ્ત જેવા ગુણો વિકસે છે

જૂનાગઢનું એક અનોખું તાલીમ કેન્દ્ર….જ્યાં સાહસિકતા, આત્માવિશ્વાસ, સ્વયં શિસ્ત જેવા ગુણો વિકસે છે
ગિરનારની ગોદમાં ૧૯૭૯ની કાર્યરત પંડિત દિનદયાળ પર્વતાહોરણ તાલીમ કેન્દ્રમાં ૩૩૯૬૫ લોકોએ ખડક ચઢાણનું મેળવ્યું પ્રશિક્ષણ
પંડિત દિનદયાળ પર્વતાહોરણ તાલીમ કેન્દ્રમા લોકો રોક ક્લાઈમ્બિંગ, રેપિલિંગ માટે દેશભરના આવે છે પર્વતારોહકો
પર્વતારોહણ કેન્દ્રમાં ૮ વર્ષના બાળકથી માંડી ૬૫ વર્ષના લોકો જુદા-જુદા કોર્ષમાં પર્વતારોહણની મેળવી શકે છે તાલીમ
ગિરનાર પર્વત માળાની લક્ષ્મણ ટેકરી, જોગણીયા ડુંગર અને ગિરનાર હિલ પર કરાઈ છે પર્વતારોહણની સાહસિક પ્રવૃતિઓ
–ખાસ અહેવાલ: રોહિત ઉસદડ
જૂનાગઢ : જૂનાગઢ ભવનાથમાં એક અનોખું તાલીમ કેન્દ્ર આવેલું છે, જ્યાં સાહસિકતા, આત્મવિશ્વાસ, સ્વયં શિસ્ત જેવા ગુણોનો વિકાસ થવાની સાથે પ્રકૃતિના ખોળે જીવન ઘડતરના નવા પાઠ શીખવા મળે છે. અહીં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ યુવાઓ તાલીમ લેવા માટે આવે છે. આ સંસ્થાનું નામ છે પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર.
ગિરનારની ગોદમાં છેલ્લા ૪૫ વર્ષથી એટલે કે વર્ષ ૧૯૭૯ કાર્યરત આ કેન્દ્રમાં અત્યાર સુધીમાં ગુજરાત સહિત દેશભરના ૧૪ થી ૪૫ વર્ષના લોકો માટેના બેઝિક રોક ક્લાઈમ્બિંગના ૧૦ દિવસના કોર્સમાં ૫૨૯૩ ગર્લ્સ-મહિલાઓ સહિત ૨૩૪૮૦ લોકોએ ખડક ચઢાણની પ્રાથમિક તાલીમ મેળવી છે. ૮ થી ૧૩ વર્ષના બાળકો માટેના ૭ દિવસના એડવેન્ચર કોર્સમાં પણ ૨૫૧૩ ગર્લ્સ સહિત ૧૦૪૮૫ બાળકો પર્વતારોહણની તાલીમ લઈ ચૂક્યા છે. ઉપરાંત ૩૨૩૧ જેટલા ઈન્સ્ટ્રક્ટર્સ પણ પર્વતારોહણ તાલીમમાં ભાગ લઈ ચૂક્યા છે. તેમ જણાવાત પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ ઈન્સ્ટ્રક્ટર અને પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડ જણાવે છે કે, જુદી જુદી વય જૂથના લોકો માટે ચલાવતા આ કોર્સ દ્વારા ખાસ કરીને યુવક યુવતીઓ સાહસવીર અને શારીરિક રીતે ખડતલ-મજબૂત બને. સાથો સાથ તેઓ પ્રકૃતિ અને વન્ય જીવસૃષ્ટિને જાણે અને તેના સંરક્ષણ માટેની એક ભાવના કેળવાય તેવું પ્રશિક્ષણ તાલીમાર્થીઓને આપવામાં આવે છે.
ગિરનાર પર્વત માળાની લક્ષ્મણ ટેકરી અને જોગણીયા ડુંગર પર આ તાલીમાર્થીઓને રોક ક્લાઈમિંગ અને રેપ્લિંગની તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત કેવિંગ, ટ્રેકિંગ ઈન ફોરેસ્ટ એરિયા, રિવર ક્રોસિંગ જેવી બાબતોને પણ આ તાલીમ સાથે વણી લેવામાં આવે છે. આમ, સમગ્ર તાલીમ દરમિયાન તાલીમાર્થીઓનું પ્રકૃતિ સાથે એક તાદાત્મ્ય પણ સર્જાય છે. આ સાથે પર્વતારોહણનું થિયરીકલ જ્ઞાન પણ તાલીમાર્થીઓને આપવામાં આવે છે.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તોઓના વિભાગ હેઠળ ચાલતા આ તાલીમ કેન્દ્રમાં ૪૫ થી ૬૫ વર્ષના લોકો માટે સ્પેશિયલ એડવેન્ચર કોર્સ, ૧૮ થી ૪૫ વર્ષના લોકો માટે ટ્રેકિંગ ઈન હિલ્સ ઓફ ગુજરાત કોર્ષ ચાલે છે. તાલીમાર્થીઓએ આ તાલીમ મેળવવા માટે કોર્ષ પ્રમાણે સામાન્ય ફી ભરવાની રહેતી હોય છે. તાલીમ પાછળનો મોટાભાગનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમ શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.
આ તાલીમ કેન્દ્રમાં નિવૃત્તિ બાદ પણ સેવા આપતા શ્રી કમલસિંગ રાજપૂતે પંડિત દિન દયાળ ઉપાધ્યાય તાલીમ કેન્દ્રના પ્રારંભિક સમયની વિગતો આપતાં જણાવ્યું કે, અહીંયા રાષ્ટ્રીય કક્ષાનો ખડક ચઢાણ કેમ્પ યોજવામાં આવે છે. જેમાં પર્વતારોહણમાં પારંગત એવા દેશભરના લોકો ગિરનાર હિલ ખાતે ક્લાઈમ્બિંગ-રેપ્લિંગ કરવા માટે આવે છે. ઉપરાંત રાજ્ય સરકારની લલિત કલા એકેડમી દ્વારા ફોટોગ્રાફી અને પેઈન્ટિંગ માટેના વર્કશોપ યોજવામાં આવે છે. આમ, અહીં પર્વતારોહણ માટેનું પ્રાથમિક પ્રશિક્ષણ આપવાની લોકોના સર્વાંગી વિકાસ માટે પણ જુદી જુદી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ઉપરાંત તાલીમાર્થીઓમાં લોકોમાં સમૂહમાં રહેવાના ગુણ વિકસવાની સાથે સ્વયં સિસ્તના પાઠ પણ શીખે છે.
છત્તીસગઢના કૂરૂદથી તાલીમ માટે આવેલ નિલકંઠ સાહૂ કહે છે કે, અહિંયા પર્વતારોહણ માટેની ટેકનીક-બારીકીઓ અને પર્યાવરણની જાળવણી માટેના બાબતો શીખવા મળી. છત્તીસગઢથી જ આવેલ કુ. પુષ્પા ધ્રૂવ જણાવે છે કે, છત્તીસગઢ જંગલ અને પહાડોથી સમૃદ્ધ રાજ્ય છે. ત્યારે જંગલ કે પહાડમાં ફસાઈ ગયા હોય ત્યારે આ તાલીમ ખુબ કામ લાગશે. સુરત ખાતેની ઈન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમીમાં અભ્યાસ કરતા અજય ખોખાણીએ પણ આ તાલીમને રોચક અને યાદગાર ગણાવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300