જૂનાગઢમાં સંચારી રોગચાળા અટકાયતી માટે સંકલન સમિતિની બેઠક યોજાશે

જૂનાગઢમાં સંચારી રોગચાળા અટકાયતી માટે સંકલન સમિતિની બેઠક યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૧૯-૦૩-૨૦૨૫ ના રોજ સાંજના ૦૪:૩૦ કલાકના કલેકટર કચેરીના સભાખંડ ખાતે આરોગ્ય શાખાની વિવિધ બેઠક મળશે. જેમાં સંચારી રોગચાળા અટકાયતી માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક અને આઈ.ડી.એસ.પી. અન્વયે ઈન્ટર ડિપાર્ટમેન્ટલ કમિટીની સમીક્ષા બેઠક યોજાશે.
બેઠકમાં જિલ્લામાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાની વર્તમાન પરિસ્થિતિ અને કામગીરી, ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામના વીકલી રિપોર્ટિંગ અને અન્ય મુદ્દાઓની ચર્ચા- વિચારણા કરવામાં આવશે. તેમ સભ્ય સચિવશ્રી જિલ્લા સંકલન સમિતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત- જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300