સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્ય મહેશ કસવાલા

સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્ય મહેશ કસવાલા
Spread the love

સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૧.૩૭ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્ય મહેશ કસવાલા

ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન સાથે વિકાસનો નવા અધ્યાયનો આરંભ


સાવરકુંડલા તાલુકાના માઇનોર બ્રિજ -૨ સ્પાન વેન્ટિલેટેડ કોઝવે નું તેમજ બોક્સ કન્વર્ટડ -૨ સ્પાન અને પ્રોટકેશન વેન્ટીલેટેડ કોઝ-વેનું ભૂમિપૂજન કરતાં : ધારાસભ્ય શ્રી કસવાળા

સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા ના ઉદેશ્ય સાથે ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ કર્યું હતું. આ નવી સગવડ થી ગામના લોકોની રાહત તથા આજુબાજુના વિસ્તારોમાં જનસાધારણ માટે નવા રસ્તાના દરવાજા ખોલી રહ્યા છે. આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ગામોના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ઉપરાંત, ખેડૂતોને પણ પોતાના ખેતરોમાં જવા-આવવા માટે સરળતા રહેશે.. આ પ્રસંગે ધારાસભ્યશ્રી કસવાલાએ જણાવ્યું હતું કે,આ વેન્ટીલેટેડ કોઝ-વેનું નિર્માણ તેમજ પ્રોટકેસન વોલ એ ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. લોકોને રોજિંદા જીવનમાં સરળતા રહેશે અને ગામનો વિકાસ પણ ઝડપી બનશે. આજે જ્યારે ભૂમિપુજન કરવામાં આવ્યું ત્યારે ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ એના માટે ખુશીનો અવસર બન્યો હતો, કારણ કે આ વિકસીત રસ્તાઓ વિસર્જનની ક્ષમતા ધરાવતાં છે અને અનેક મોટી સમસ્યાઓના નિવારણ માટે નવા મોજું ફૂંકાવશે. આ ભૂમિપૂજન સમારોહમાં આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ ખાત્રાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લાલભાઈ મોર, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, તાલુકા પંચાયત સભ્ય શ્રી મનુભાઈ ડાવરા, તાલુકા ભાજપ યુવા પ્રમુખ શ્રી મહેશભાઈ ભાલાળા, ભાજપ યુવા અગ્રણી શ્રી સંજયભાઈ બરવાળીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી રાઘવભાઈ સાવલિયા, ગણેશગઢ ગામના આગેવાન શ્રી મનુબાપા કયાડા, શ્રી ઉકાભાઈ પાઘડાળ, શ્રી કિશોરભાઈ કયાડા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કેતનભાઈ માલાણી, લીખાળા સરપંચ શ્રી મનસુખભાઈ સાવલિયા, શ્રી ગૌતમભાઈ ખુમાણ, ફાચરીયા સરપંચ શ્રી ચંદ્રેશભાઈ રામાણી, શ્રી રજનીભાઈ ડોબરીયા, શ્રી કકુભાઈ હિરાણી, શ્રી કાળુભાઈ સાવલિયા, શ્રી મનુભાઈ કેવડિયા તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ આ વિકાસ કાર્ય બદલ ધારાસભ્યશ્રી કસવાલાનો આભાર માન્યો હતો. તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!