અગ્નિવીર આર્મી ભરતી રેલી ની પસંદગી કસોટી માટે તા.૧૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી

અગ્નિવીર આર્મી ભરતી રેલી ની પસંદગી કસોટી માટે તા.૧૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી
Spread the love

અગ્નિવીર આર્મી ભરતી રેલી ની પસંદગી કસોટી માટે તા.૧૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી

જૂનાગઢ : ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી ( ૨૦૨૫-૨૦૨૬) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવેલ છે.
આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી,અગ્નીવીર ટેકનીકલ, અગ્નીવીર (કલાર્ક/ સ્ટોર કીપર ટેકનીકલ,( ધોરણ ૧૨ પાસ) અગ્નિવીર ટ્રેડમેન (૮ તથા ૧૦ પાસ) કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે ઉંમર ૧/૧૦/૨૦૨૪ થી ૧/૪/૨૦૦૮ ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવાર પાસેથી http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૧૦/૪/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા પ્રથમ આપવાની રહેશે. જાહેરાત માટેની વધુ વિગતો http://www.joinindianarmy.nic.in વેબસાઈટ ઉપર જોઈ શકાશે. આ ઉપરાંત વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦૨૮૮) ૨૫૫૦૩૪૬ અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરીને હેલ્પલાઇન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી (સામાન્ય) ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!