ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી ની અધ્યક્ષતામાં જૂનાગઢમાં તારીખ ૯ એપ્રિલના રોજ યોગ શિબિર યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી ની અધ્યક્ષતામાં જૂનાગઢમાં તારીખ ૯ એપ્રિલના રોજ યોગ શિબિર યોજાશે
Spread the love

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલની અધ્યક્ષતામાં જૂનાગઢમાં તારીખ ૯ એપ્રિલના રોજ યોગ શિબિર યોજાશે

સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન મેદસ્વિતા મુક્ત અન્વયે યોગ શિબિર યોજાશે

જૂનાગઢ : જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલ શ્રી ની અધ્યક્ષતામાં યોગ શિબિર તારીખ ૯ એપ્રિલના રોજ સવારના ૫-૩૦ થી ૭-૩૦ કલાક દરમિયાન દ્વારકાધીશ માર્કેટ સામે, ઝાંસીના પૂતળા પાસે, બસ સ્ટેન્ડ રોડ, જૂનાગઢ ખાતે યોજાશે. આ શિબિર નો હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય એ માટેનો છે.ઉલ્લેખનીય છે કે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનેા ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનું હેતુ સમગ્ર રાજયના લોકો નિરોગી રહે અને દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નીરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!