મેંદરડા : સમઢીયાળા ના ન્યુઝ પેપર એજન્ટ નરેન્દ્રભાઈ સાવલિયા નું અવસાન

મેંદરડા : સમઢીયાળા ના ન્યુઝ પેપર એજન્ટ નરેન્દ્રભાઈ સાવલિયા નું અવસાન
પોતાના ધરે જ હદય રોગનો હુમલો આવતા જીવણેલ સાબીત થયો
મેંદરડા તાલુકાના સમઢીયાળા ગીર ગામના વતની અને ન્યૂઝ પેપર એજન્ટ તરીકે સેવા આપતા નરેન્દ્રભાઈ બચુભાઈ સાવલિયા ઉંમર વર્ષ ૫૪ નું હૃદય રોગના હુમલો આવવા થી તા.૧૬/૪/૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
નરેન્દ્ર ભાઈ સાવલિયા તા.૩/૮/ ૧૯૭૧ ના રોજ જન્મ થયેલ હતો તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા તેઓ પોતાની ખેતી ઉપરાંત છેલ્લા ૨૬ વર્ષથી અખબારી વ્યવસાય સાથે જોડાયેલા હતા તેમજ લેઉવા પટેલ સમાજ સમઢીયાળા ના મંત્રી તરીકે પણ સેવા બજાવી રહ્યા હતા
તેમના પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે પુત્રી દિપાલી બીએસસી નર્સિંગ ગ્રેજ્યુએટ કરેલ છે તેમજ પુત્ર નિકુંજ ચોથા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે આમ પુત્ર પુત્રી અને પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા તેમનાં દિવ્ય આત્માં ને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના અને પરિવાર પર અચાનક આવી પડેલ વ્રજ ધાત પીડા સહન કરવા ની શક્તિ આપે તેવી પ્રાર્થના
ઓમ્ શાંતિ ઓમ્ શાંતિ ઓમ્ નમઃ શિવાય
🙏🙏🙏🙏🙏 🙏🙏
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300