હળવદમા શ્રી નકલંક ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન અને યુવક નેતૃત્વ તાલીમ

શિબિરમાં 50 તાલીમાર્થીઓએ ભાગ લીધો : પ્રમાણપત્રો અપાયા
હળવદ : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી સંચાલીત શ્રી નકલંક ગુરુકુળ ખાતે ૭ દિવસની શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના પ્રમુખ મહંત શ્રી દલસુખ બાપુ ગુરુકુળ ના એમડી કરુણાબેન પ્રજાપતિ તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીશ આ શિબિર ને ખુલ્લી મૂકી હતી.
આ શિબિરમાં 50 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં દરરોજ યોગાસન અને નેતૃત્વ તાલીમ આપવામાં આવી હતી.જેના તજજ્ઞ ચિરાગભાઈ વરમોરા યોગાસન અને નેતૃત્વ શ્રી ગઢવી ના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી તેમજ શિબિરના અંતિમ દિવસે તજજ્ઞ છગનભાઈ ચોસલા અને હિતેશભાઈ વરમોરા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ ના માર્ગદર્શન હેઠળ તાલીમ ની પૂર્ણાહુતિ તેમજ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ શિબિરને સફળ બનાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ સંસ્થાના એમડી આચાર્ય અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.